Gujarat Tak
BREAKING
સ્પા કે વેશ્યાગૃહમાં ગ્રાહક તરીકે પકડાયા તો કેસ થશે કે નહીં? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો | NPSને લઇ મોટા સમાચાર, સરકારી કર્મચારીઓને મળશે ઉપાડોના નવા વિકલ્પો | GSRTCમાં આવી મોટી ભરતી, 2510 હેલ્પરની જગ્યા માટે ભરતી જાહેર, ભરતી વિશે સંપૂર્ણ માહિતી અહીં જુઓ | દિલ્હીમાં જે વિસ્તારમાં દલિત અને મુસલમાન વધુ હતા તે વિસ્તારમાં SIR માં સૌથી વધુ નામ કરવામાં આવ્યા ડીલીટ | Zandu Nityam Ayurvedic Vati Tablet Uses in Gujarati: ઉપયોગ, ફાયદા, ઘટકો અને કેવી રીતે લેવી? | Pakistan Women Teamની ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, 34 વર્ષની ઉંમરે લીધો આ મોટો નિર્ણય | સ્પા કે વેશ્યાગૃહમાં ગ્રાહક તરીકે પકડાયા તો કેસ થશે કે નહીં? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો | NPSને લઇ મોટા સમાચાર, સરકારી કર્મચારીઓને મળશે ઉપાડોના નવા વિકલ્પો | GSRTCમાં આવી મોટી ભરતી, 2510 હેલ્પરની જગ્યા માટે ભરતી જાહેર, ભરતી વિશે સંપૂર્ણ માહિતી અહીં જુઓ | દિલ્હીમાં જે વિસ્તારમાં દલિત અને મુસલમાન વધુ હતા તે વિસ્તારમાં SIR માં સૌથી વધુ નામ કરવામાં આવ્યા ડીલીટ | Zandu Nityam Ayurvedic Vati Tablet Uses in Gujarati: ઉપયોગ, ફાયદા, ઘટકો અને કેવી રીતે લેવી? | Pakistan Women Teamની ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, 34 વર્ષની ઉંમરે લીધો આ મોટો નિર્ણય |
ADVERTISEMENT

NPSને લઇ મોટા સમાચાર, સરકારી કર્મચારીઓને મળશે ઉપાડોના નવા વિકલ્પો

NPS withdrawal rules: ગુજરાત સરકારે NPSના નિયમોમાં ફેરફાર કર્યો છે. નિવૃત્તિ બાદ કર્મચારીઓને પેન્શન રકમ ઉપાડવા અને એન્યુઇટી માટે નવા વિકલ્પો મળશે.
NPSને લઇ મોટા સમાચાર, સરકારી કર્મચારીઓને મળશે ઉપાડોના નવા વિકલ્પો
Priyanka Panchal 04 Sep, 2026 05:53 AM
ADVERTISEMENT

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે NPS એટલે કે રાષ્ટ્રીય પેન્શન યોજના અંગે મહત્વના ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ નિવૃત્તિ બાદ સરકારી ક્ષેત્રના NPS સભ્યોને રકમ ઉપાડવા, એન્યુઇટી ખરીદવા અને NPSમાં 85 વર્ષની ઉંમર સુધી રહેવા જેવા વિકલ્પો મળશે.

નિવૃત્તિ બાદ NPSમાં 85 વર્ષ સુધી રહી શકાશે

નવા નિયમો હેઠળ સરકારી ક્ષેત્રના NPS સભ્યને નિવૃત્તિ બાદ પણ 85 વર્ષની ઉંમર સુધી NPSમાં રહેવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ સાથે પેન્શનની સંચિત રકમમાંથી એકમુશ્ત ઉપાડ અને એન્યુઇટી ખરીદવાના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે નિવૃત્તિ સમયે સંચિત પેન્શન રકમના ઓછામાં ઓછા 40 ટકા હિસ્સામાંથી એન્યુઇટી ખરીદવાની જોગવાઈ રહેશે. જોકે, સંચિત રકમ કેટલી છે તેના આધારે એકમુશ્ત ઉપાડ માટે અલગ વિકલ્પ આપવામાં આવ્યા છે.

સંચિત NPS રકમ એકમુશ્ત ઉપાડનો વિકલ્પ
₹8 લાખ સુધી સમગ્ર રકમ એકસાથે ઉપાડી શકાશે
₹8 લાખથી વધુ અને ₹12 લાખ સુધી વધુમાં વધુ ₹6 લાખ સુધી એકમુશ્ત ઉપાડી શકાશે
₹12 લાખથી વધુ નિયમ મુજબ ઓછામાં ઓછા 40% રકમમાંથી એન્યુઇટી ખરીદવાની જોગવાઈ

₹8 લાખથી વધુ અને ₹12 લાખ સુધીની સંચિત રકમ ધરાવતા સભ્યો માટે બાકીની રકમમાંથી ઓછામાં ઓછા છ વર્ષ સુધી સમયાંતરે ચુકવણી મેળવવાનો અથવા એન્યુઇટી ખરીદવાનો વિકલ્પ રહેશે.

85 વર્ષની ઉંમર સુધી નિર્ણય મુલતવી રાખી શકાશે

નવા નિયમોની મહત્વની બાબત એ છે કે સભ્ય એન્યુઇટીની ખરીદી અને એકમુશ્ત રકમના ઉપાડને 85 વર્ષની ઉંમર સુધી મુલતવી રાખી શકે છે. એટલે કે નિવૃત્તિના સમયે જ સમગ્ર નિર્ણય લેવો જરૂરી રહેશે નહીં.

સ્વૈચ્છિક નિવૃત્તિમાં નિયમ શું રહેશે?

સરકારી કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્તિ લે અથવા નિયમોમાં જણાવેલા અન્ય નિર્ધારિત કિસ્સામાં NPSમાંથી બહાર આવે ત્યારે ઓછામાં ઓછા 80 ટકા સંચિત પેન્શન રકમ એન્યુઇટી માટે ઉપયોગમાં લેવાની જોગવાઈ રહેશે.

જોકે, સંચિત પેન્શન રકમ ₹5 લાખ કે તેનાથી ઓછી હોય, તો સમગ્ર રકમ એકમુશ્ત ઉપાડવાનો વિકલ્પ રહેશે.

સરકારી અને બિનસરકારી NPS સભ્યો માટે અલગ જોગવાઈ

નવા નિયમોમાં NPSના સરકારી અને બિનસરકારી ક્ષેત્રના સભ્યો માટે ઉપાડની અલગ જોગવાઈ કરવામાં આવી છે. તેથી કર્મચારીઓએ પોતાની NPS કેટેગરી અને નિવૃત્તિની સ્થિતિ પ્રમાણે લાગુ પડતા નિયમો ધ્યાનમાં લેવા પડશે.

Link copied!