Gujarat Tak
BREAKING
"મારે પતિ સાથે નથી રહેવું", પોલીસ સમક્ષ કિંજલ રબારીનું ચોંકાવનારું નિવેદન, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ | સુરતમાં ફરી પત્નીઓની અદલા-બદલીનો 'ખેલ', 30 વર્ષની પરિણીતાએ પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવ્યો; રડતાં-રડતાં સંભળાવી આપવીતી | DA Hike: નવરાત્રિ-દશેરા પહેલાં થઈ શકે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત, આટલો વધશે પગાર અને પેન્શન ? | શેરબજારમાં સોમવારે નહીં થાય કોઈ ટ્રેડિંગ, કેમ બંધ છે BSE અને NSE? જાણો | IIIT Surat Junior Engineer (Civil/Architect) Recruitment 2026 | સોશિયલ મીડિયા પર 1980s AI ફોટો ટ્રેન્ડ પાછળ જોખમ ફોટો અપલોડ કરતા પહેલા સાવધાન ! | "મારે પતિ સાથે નથી રહેવું", પોલીસ સમક્ષ કિંજલ રબારીનું ચોંકાવનારું નિવેદન, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ | સુરતમાં ફરી પત્નીઓની અદલા-બદલીનો 'ખેલ', 30 વર્ષની પરિણીતાએ પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવ્યો; રડતાં-રડતાં સંભળાવી આપવીતી | DA Hike: નવરાત્રિ-દશેરા પહેલાં થઈ શકે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત, આટલો વધશે પગાર અને પેન્શન ? | શેરબજારમાં સોમવારે નહીં થાય કોઈ ટ્રેડિંગ, કેમ બંધ છે BSE અને NSE? જાણો | IIIT Surat Junior Engineer (Civil/Architect) Recruitment 2026 | સોશિયલ મીડિયા પર 1980s AI ફોટો ટ્રેન્ડ પાછળ જોખમ ફોટો અપલોડ કરતા પહેલા સાવધાન ! |
ADVERTISEMENT

"મારે પતિ સાથે નથી રહેવું", પોલીસ સમક્ષ કિંજલ રબારીનું ચોંકાવનારું નિવેદન, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Kinjal Rabari Case: અમદાવાદમાં જાણીતી લોકગાયિકા કિંજલ રબારી અને અશોક ચૌધરીના પ્રેમ લગ્ન અંગે ચાલી રહેલા વિવાદમાં એક મોટો ખુલાસો થયો છે. છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દો ભારે ચર્ચામાં હતો, પરંતુ હવે એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવતા સમગ્ર ઘટનામાં નવો વળાંક આવ્યો છે.
"મારે પતિ સાથે નથી રહેવું", પોલીસ સમક્ષ કિંજલ રબારીનું ચોંકાવનારું નિવેદન, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Aslam Mathakiya 13 Sep, 2026 09:04 AM
ADVERTISEMENT

Kinjal Rabari Case: ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારી અને અશોક ચૌધરીના લવ મેરેજનો વિવાદ હાલમાં ભારે ચર્ચામાં છે. આ સમગ્ર મામલે અમદાવાદમાં કિંજલ રબારીનું પોલીસ નિવેદન લેવામાં આવતું હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ કેસ અંગે કેટલાક મોટા ખુલાસા થયા છે. સોશિયલ મીડિયા પર કિંજલ રબારીનું પોલીસ નિવેદન નોંધાતું હોય તેવો એક વીડિયો ભારે વાયરલ થયો છે. આ વીડિયોમાં પોલીસ કર્મચારી દ્વારા કિંજલની પૂછપરછ કરવામાં આવી રહી છે.

વીડિયોમાં પોલીસ કર્મચારી દ્વારા કિંજલની પૂછપરછ

વાયરલ થયેલા આ વીડિયોમાં પોલીસ કર્મચારી દ્વારા કિંજલની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે પોલીસ કર્મચારી કિંજલને તેનું નામ પૂછે છે, ત્યારે લોકગાયિકા પોતાનું પૂરું નામ 'કિંજલ શંકરભાઈ દેસાઈ' હોવાનું જણાવે છે. આ નિવેદન સ્પષ્ટ કરે છે કે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે તેણે પોલીસની હાજરીમાં પોતાની સત્તાવાર ઓળખ અને નિવેદન નોંધાવ્યું છે.

"મારે મારા પતિ સાથે નથી જવું."

આ નિવેદન દરમિયાન કિંજલે પોતાના ભવિષ્યના સ્ટેન્ડ વિશે સ્પષ્ટતા કરી છે. તેણે પોલીસને હકારાત્મક રીતે જણાવ્યું છે કે તે હાલમાં પોતાના માતા-પિતાના ઘરે એકદમ રાજી-ખુશીથી રહે છે. વિડિયોમાં તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "મારે મારા પતિ સાથે નથી જવું." આ નિવેદન દર્શાવે છે કે તે પોતાની મરજીથી પિયરમાં રહેવા માંગે છે અને અશોક ચૌધરી સાથે જવા માંગતી નથી.

"મારા પર કોઈનું દબાણ નથી"

પોતાના નિર્ણય પાછળ કોઈ પારિવારિક કે સામાજિક દબાણ છે કે કેમ તે અંગે પણ કિંજલે ખુલાસો કર્યો છે. તેણે પોલીસને ખાતરીપૂર્વક જણાવ્યું છે કે તેના પર કોઈ જ પ્રકારનું દબાણ નથી અને તેણે આ નિર્ણય પોતાની સ્વેચ્છાએ લીધો છે. કિંજલ રબારીના આ વાયરલ નિવેદનથી અશોક ચૌધરી સાથેના લવ મેરેજના વિવાદમાં નવો વળાંક આવ્યો છે અને ઘણી અટકળો પર હાલ પૂરતું પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

Link copied!